મોરબી: શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવાની માંગ સાથે નીકળેલી સાયકલ યાત્રા આવતી કાલે મોરબીમાં : રાત્રે લોકડાયરો યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14, મોરબી, શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધી સાયકલ યાત્રાનું  આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા આગામી ૧૫ તારીખે મોરબી આવવાની છે ત્યારે સાયકલ વીરોનું સન્માન કરવા માટે હાલમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં મોરબીની ક્રાંતિકારી સેના, વાત્સલ્ય ન્યુઝ, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ,  અને યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ સહિતની સંસ્થાનો સમાવેશ થાય ચ અને આ સાયકલયાત્રા મોરબી આવશે ત્યારે મોરબીમાંથી પણ ઘણા યુવાનો તેની સાથે સાયકલ વીરોનો ઉત્સાહ વધારવા માટે તેની સાથે જોડાવાના છે અને શહેરના માર્ગો ઉપર તેની સાથે રહેશે આ સાયકલયાત્રા ભક્તિનગર સર્કલથી શનાળા રોડ, રામ ચોક, સાવસર પ્લોટ, સરદાર રોડ, નહેરુગેટ, ગ્રીન ચોક, દરબાર ગઢ, મહેન્દ્રા ડ્રાઈવ રોડ, પાડા પુલ,એલ.ઈ કોલેજ રોડ, સૌ ઓરડી, નેશનલ હાઈવે, ત્રાજપર ચાર રસ્તા, મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, ગેસ્ટ હાઉસ રોડ, નહેરુગેટ, ગાંધી ચોક, નરસંગ ટેકરી, સ્વચ્છતા રોડ થઈને સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થશે અને રૂટમાં આવતા તમામ સ્ટેચ્યુ પર ફુલહાર પણ કરવામાં આવશે આ ઉપરાંત રાતે લોક ડાયરો પણ રાખવામાં આવશે.