મોરબી-પ્રા.આ.કેન્દ્ર- ભરતનગરના મધુપુર ગામમા દવાયુક્ત મચ્છર દાની વિતરણ કરવામાં આવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 17-9, મોરબી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ભરતનગરના સેજાના ગામ મધુપુર મા સરકાર દ્વારા ચલાવવામાં આવતા મેલેરિયા નાબુદી 2022 અનુસંધાને ગામમાં મચ્છર જન્ય રોગચાળો જેવો કે મલેરિયા,ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગચાળો ના ફેલાય તેના અનુસંધાને ગામના દરેક વ્યક્તિ માટે મચ્છરદાની નું વિતરણ કરવામાં આવેલ હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ભરતનગર ના આયુષ ડો. ડી.એસ. પાંચોટીયા ની દેખરેખ મા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી સુખાભાઈ ડાંગર મધુપુરના સરપંચશ્રીમત્તિ વાલુબેન ચંદુભાઇ ડાંગર તેમના હાથે મચ્છરદાની વિતરણ કરાવવામાં આવેલ હતી તેમજ આરોગ્ય ટીમ ભરતનગર મલ્ટીપરપઝ હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ મધુપુર ગામમાં ફરજ બજાવતા એમ.પી.એચ.ડબલ્યુ-પી એન ડાંગર , જયેશ ચાવડા ,મેરામ કુવાડિયા અને રાજેશ હુબંલ દ્વારા ગામના દરેક વ્યક્તિ ને મચ્છરદાની વિતરણ કરવામાં આવેલ હતી તેમજ દરેક ને મચ્છરદાની મા સુવાની સલાહ આપવામાં આવેલ હતી અને તેના ફાયદા વિશે વિગતવાર સમજાવેલ હતું.મધુપુર ગામમાં તમામ વ્યક્તિઓ દ્વારા હાથ સે હાથ મિલાઓ ના સૂત્ર ને સાકાર કરી અને આ આયોજન મા સહુ મિત્રો એ પોતાનો સહકાર આપ્યો હતો.