મોરબીમાં કોંગો ફિવરના બે પોઝિટિવ કેસ સામે આવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 29-8, રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં કોન્ગો ફીવરના પોઝીટીવ કેસ સામે આવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં આવતા માળિયા હળવદ હાઈવે ઉપર આવેલ એક કારખાનામાં કોંગો ફીવરના કેસ હોવાની હક્કિત મળી હતી જેથી ત્યાના સ્ટાફની તપાસ કરવામાં આવતા બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી તે બન્નેને હાલમાં અમદાવાદ વીએસ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે ઉપરાંત ૧૧ શંકાસ્પદ દર્દીઓને રાજકોટ સારવારમાં ખસેડાયા છે અને મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી શરુ કરવામાં આવેલ છે

માળિયા હળવદ હાઇવે પર આવેલ આસ્થા ટેકનોપ્લાસ્ટ કરખાનમાં કામ કરતા ત્રણ મજૂરોને કોંગો ફીવર શંકાસ્પદ લક્ષણો દેખાતા ત્રણેયના રીપોટ કરાવવામાં આવ્યો હતો જેમાં બે દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે માટે બે દર્દીઓને મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અમદાવાદ વીએસ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે

જેથી મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતીરા તથા સી.એલ વારેવડીયા તેમની મેડિકલ ટીમ સાથે હળવદ પહોચ્યા હતા અને આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી હતીઆ કારખાનામાં કામ કરતા ૪૯ મજૂરોના રિપોર્ટ કરાવ્યા હતા. જેમાંથી ૧૧ મજૂરોને કોઈ તકલીફ હોય પણ બ્લડનેશ ઓછું હોવાને કારણે સાવચેતીના ભાગરૂપે હાલ ૧૧ લોકોને રાજકોટ મેકીકલ કોલેજમાં અન્ડર ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.તેમજ હળવદ વિસ્તારમાં 10 કારખાના અને પાંચ જેટલી વાડીઓમાં ૧૫૦૦ની વસ્તીમાં આશરે ૩૯૩ ઘરોમાં સર્વેની કામગીરી કરી હતી. તેમજ ફોગીગ,એબેટ તથા સ્પ્રેની કામગીરી કરવામાં આવી હતી. જોકે રોગ પશુઓમાંથી ઉદ્દભવતો હોવાથી પશુપાલન વિભાગ દ્વારા ઢોર અને ચાર ઈતરડીના સેમ્પલ લઈને લેબોરેટરી માટે પુના મોકલ્યા છે તેવું જાણવા મળ્યું છે