મોરબી સિરામિક ઉદ્યોગ માટે રશિયામાં નિકાસના દ્વાર ખોલવા મુખ્યમંત્રીની કવાયત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) ગુજરાતના સિરામીક ઉધોગને રશીયામા પ્રસ્થાપિત કરવા અને વિશાળ પ્રમાણમા નિકાસ કરવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રારા જે રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના માટે મોરબી સિરામીક એસો. તેઓને તેમજ કચ્છમોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા અને રાજુભાઇ કેસ્ટ્રોલને અભિનંદન પાઠવવામાં આવ્યા છે

રશીયાના વાલ્ડીવોસ્ટોક (viadivostok) ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામા ડાયમંડ, ટીમ્બર અને સિરામીક ઉધોગ મોટા પાયે રશિયામા નિકાસ થાય તે માટે અને ત્યા રશિયામા સિરામીક ઉત્પાદન કરવામા રશિયન ગવર્મેન્ટ તરફથી મોરબીના ઉધોગકારોને શુ લાભ મળી શકશે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમા રશિયામા રહેલ ટાઇલ્સ અને સેનેટરીવેર્સના માર્કેટ માટે પણ નવા દ્વાર ખુલશે તેવુ જણાઇ રહ્યુ છે. તકે ભારત સરકાર દ્વારા ગુજરાતના સિરામીક ઉધોગને પ્રોત્સાહીત કરવા માટે પ્રયત્નો કરવામા આવી રહ્યા છે ત્યારે દેશના કેન્દ્રીય કોમર્સ મંત્રી પીયુષ ગોયલ, તેમજ બીજા ચાર રાજ્યોના મુખ્યમંત્રી તેમજ ગુજરાતના ઉધોગ કમીશ્નર શ્રીમતી મમતા વર્મા અને ભારતીય રાજદુત વેંન્કટેશ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા

 

……………………. Advertisements ……………….