મોરબીના વાઘપરામાં ગંદા પાણીથી ત્રસ્ત લત્તાવાસીઓએ ઢોલ નગારા સાથે સરઘસ કાઢ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 23-7, મોરબીના વાઘપરા વિસ્તારમાં દુષિત પાણી આવતું હોય અને પાયાના પ્રશ્નોથી પીડિત લત્તાવાસીઓ આજે ઢોલ નગારા સાથે સરઘસ કાઢીને કચેરીએ પહોંચ્યા હતા અને પાલિકા કચેરીએ હંગામો કરી વિરોધ દર્શાવ્યો હતો

        મોરબીના વાઘપરા શેરી નં ૧૩ ના રહેવાસીઓનું ટોળું આજે પાલિકા કચેરીએ ઢોલ નગારા સાથે સરઘસ રૂપે પહોંચ્યું હતું વિસ્તારમાં દુષિત પાણી એક માસથી આવે છે તેમજ ગંદકી સહિતના પ્રશ્નો અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિવેડો ના આવતા આજે મહિલાઓ અને પુરુષોનું ટોળું પાલિકા કચેરી પહોંચ્યું હતું અને આવેદન સાથે લાવ્યા હતા જોકે રાબેતા મુજબ પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર પાલિકા કચેરીએ હાજર ના હોય જેથી મહિલાઓનું ટોળું વિફર્યું હતું અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા દુષિત પાણી પણ મહિલાઓ પાલિકાના નીમ્ભર તંત્રને બતાવવા સાથે લાવ્યા હતા પરંતુ લત્તાવાસીઓની અરજ સંભાળનાર કોઈ મળ્યું ના હતું ત્યારે પ્રશ્નનો નિરાકરણ લાવવા માંગ કરી હતી અને જો પ્રશ્ન ના ઉકેલાય તો પાલિકા કચેરીએ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે  

 

 

દિવ્યક્રાંતિના ફેસબુક પેજ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://facebook.com/divyakrantinews

ઇન્સ્ટાગ્રામ પર જોડાવા નીચે લિંક પર ક્લિક કરો 

https://www.instagram.com/divyakrantinews/

વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

https://chat.whatsapp.com/DwqtMFKGuh89LMmnXEpWuu

યુ-ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા  નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 

https://www.youtube.com/channel/UCt4VfH6tTUKJTiPizHISZrw

………………… Advertisements ……………………..