સુરતમાં અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું : જર્મનીથી સ્પેશ્યલ 55 TTL ફાયર ગાડી મંગાવી

( દિવ્યક્રાંતિ ન્યુઝ) સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 22ના મોત બાદ તંત્ર જાગ્યું છે. આજે 55 ટીટીએલ એટલે કે ટર્ન ટેબલ લેડર ધરાવતી ફાયરની ગાડી સુરત પહોંચી ગઈ છે. આ ફાયરની ગાડી 55 મીટર સુધી ઉંચે સુધી પહોંચી રેસ્ક્યુ કરી શકે છે. ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, ફાયર વિભાગની સુવિધામાં વધારો થયો છે. 55 ટીટીએલ એટલે કે ટર્ન ટેબલ લેડર ધરાવતી ફાયરની ગાડી સુરત આવી પહોંચી છે. આ ફાયરની ગાડી 55 મીટર ઉંચે સુધી આગ લાગે ત્યારે રેસ્ક્યુ કરી શકે છે. અને આ ફાયરની ગાડી જર્મનીથી મગાવવામાં આવી છે. હાલ તેની કિંમત અંગે જાણકારી નથી. જર્મનીથી આ ફાયરની ગાડી મુંબઈ પોર્ટ પર આવી હતી. ત્યારબાદ સુરત લાવવામાં આવી છે. ફાયર ઓફિસ ઈશ્વર પટેલે તક્ષશિલા આગ્નિકાંડ અંગે જણાવ્યું હતું કે, તક્ષશિલા આગની ઘટનામાં બાળકોના મોત એ ખૂબ જ દુઃખદ ઘટના છે. ચોક્કસ જો આ ફાયરની ગાડી હાજર હોતે તો રેસ્ક્યુ કરવામાં સરળતા થશે. હાલ આ ફાયરની ગાડી ક્યાં મૂકવી તેનો નિર્ણય કરવામાં આવ્યો નથી. હાલ આ ફાયરની ગાડી અંગે ફાયરના જવાનોને તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ ગાડી ફાયર સ્ટેશન પર મૂકવામાં આવશે.