મોરબી: શૂરવીર મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ ઉજવાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) મોરબી શહેરમાં રાજપૂત કરણી સેના તથા રાજપૂત સમાજ અને રાજપુત યુવા સંઘ મોરબી દ્વારા આવતી કાલે 9-5-19 ના રોજ શૂરવીર મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતિની ઉજવણી કરવાનું આયોજન કરેલ છે. કાલે સવારે 9-45 વાગ્યે સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસેના મહારાણા સર્કલ.ખાતેની મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ફુલહાર કરી ભાવવંદના કરાશે. મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયતીની ઉજવણીમાં દરેક ક્ષત્રિય સમાજના લોકોને સહભાગી બનવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.



………………………… Advertisements ………………………………..